Gujarati News

Gujarati News

News of Thursday, 2nd January 2020

ટીવી શો મુસ્કાન થઇ જશે બંધ

ટીવી સિરીયલ મુસ્કાનના ચાહકો માટે માઠા સમાચાર છે. આ શોને ટીઆરપી ઘટી જવાને કારણે શો ગમે ત્યારે બંધ થઇ જવાની શકયતા છે. ચર્ચા છે કે શોના અંતિમ એપિસોડનું શુટીંગ પણ કરી લેવામાં આવ્યું છે. આ સિરીયલનો છેલ્લો એપિસોડ ચોથી જાન્યુઆરીએ દર્શાવવામાં આવશે. સ્ટાર ભારત પરના આ શોએ પ્રારંભથી જ દર્શકોના દિલમાં સ્થાન બનાવી લીધું હતું. સિરીયલમાં શરદ મલ્હોત્રા અને યેશા રૂઘાણીએ જબરદસ્ત અભિનયથી ચાહકોને ખુશ કર્યા છે. પરંતુ જેમ જેમ કહાની આગળ વધતી ગઇ તેમ તેમ નવા વળાંકો આવતાં જતાં ધીમે-ધીમે ચાહકોની સંખ્યા ઓછી થતી ગઇ હતી. હવે ટીઆરપી ઘટી જવાને કારણે શો બંધ થઇ જશે. અંતમાં બુરાઇ પર અચ્છાઇની જીત અને પરિવારની એકતા દર્શાવવામાં આવશે. જો કે શો બંધ થશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એક મિટીંગ બાદ આ અંગેનો નિર્ણય લેવામાં આવશે. શોમાં સુદેશ બેરી, મૂન બેનર્જી, રિચા સોની, જ્યોત્સના ચંડોલા, લવીના ટંડન સહિતે ભુમિકા નિભાવી છે.

(9:42 am IST)