Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ત્યારે મેં બાળકોનો-પરિવારનો જ વિચાર કર્યો હતોઃ શ્વેતા

ટીવી ઇન્ડસ્ટ્રીની હોટ અને બ્યુટીફુલ અભિનેત્રી શ્વેતા તિવારીની કોમર્શિયલ લાઇફ તો ખુબ સારી છે, પરંતુ પર્સનલ લાઇફમાં તેને ઘણું સહન કરવું પડ્યું છે. રાજા ચોૈધરી સાથે  પ્રથમ લગ્ન તૂટ્યા પછી શ્વેતાએ અભિનય કોહલી સાથે બીજા લગ્ન કર્યા હતાં. આ લગ્ન પણ તુટી જતાં લોકો શ્વેતાને જ જવાબદાર ગણી તેને સોશિયલ મિડીયા પર ટ્રોલ કરવા માંડ્યા હતાં. શ્વેતા કહે છે લોકો માટે મારા માટે કંઇ પણ કહેવું લખવું સરળ હતું. બધા મને જ જવાબદાર ગણવા માંડ્યા હતાં અને મારી જ ભુલને કારણે બીજા લગ્ન પણ તુટી ગયા તેવું કહેવા માંડ્યા હતાં. હું કારકિર્દીની ટોચ પર હતી ત્યારે મેં લગ્ન કર્યા હતાં. ત્યારે પણ લોકોએ એવી વાતો કરી હતી કે હવે મારી કારકિર્દી ખતમ થઇ ગઇ છે. પરંતુ મેં આવી વાતોને મારા પર હાવી થવા દીધી નહોતી. મને એ પણ ચિંતા નહોતી કે મારુ ખાનદાન શું કહેશે. મેં માત્ર મારી અને મારા બાળકો-પરિવારનો જ વિચાર કર્યો હતો. શ્વેતાની બે સંતાનની મા છે. જેમાં પલક ૨૦ વર્ષની છે, જે પ્રથમ પતિ થકી જન્મી છે. જ્યારે એક પુત્ર રેયાંશ છે જે બીજા પતિ અભિનવ થકી જન્મયો છે. શ્વેતાએ અભિનય સામે ઘરેલુ હિંસાનો કેસ પણ કર્યો હતો.

(9:56 am IST)