Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

પ્રિયંકાએ મંગળસૂત્ર કેમ પહેર્યું છે? : પ્રિયંકાએ ટ્વીટ સાથે તસ્વીર પોસ્ટ કરીને કર્યો ખુલાસો

મુંબઈ :તાજેતરમાં બોલીવુડની ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેયર કરી હતી જેમાં તેણે હાથમાં મંગળસૂત્ર પહેરેલું દેખાય છે. જેના કારણે મીડિયામાં સવાલો ઊભા થયા છે કે શું પ્રિયંકાએ ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. જો કરી લીધા હોય તો કોણ છે વ્યક્તિ અને જો લગ્ન નથી કર્યા તો પ્રિયંકાએ મંગળસૂત્ર કેમ પહેર્યું છે

   મામલે પ્રિયંકાએ સ્પષ્ટતા કરતા એક તસવીર ટ્વીટ કરી છે જેમાં હાથની એસેસરી સ્પષ્ટ દેખાય છે. હવે પ્રિયંકા ચોપરાએ એક ટ્વીટ કરીને વાતનો જવાબ આપ્યો હતો. પ્રિયંકાએ તે બ્રેસલેટની તસવીર ઝૂમ કરીને પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે,’હાહાહા, અંદાજો લગાવવાની પણ હદ છે! ઈવિલ આઈ (ખરાબ નજરથી બચાવનાર બ્રેસલેટ) છે. પરેશાન થાઓ. જ્યારે લગ્ન થશે ત્યારે હું બધાને જણાવીશ. કોઇ સિક્રેટ નહિ હોય. Lol’

   પ્રિયંકા છેલ્લા બે વર્ષથી હોલિવુડ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. નોંધનીય છે કે લગ્નને લઈને પ્રિયંકાએ તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું. પ્રિયંકાએ કહ્યું હતું કે, મારા માટે લગ્ન અને બાળકો બહુ મોટી જવાબદારી સમાન છે. મને લગ્નમાં સંપૂર્ણ વિશ્વાસ છે. હું ઘણાં બધા બાળકોને જન્મ આપવા માંગું છું.

(6:36 pm IST)