Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

રાજકુમાર રાવે રાકેશ શર્માની બાયોપિકને લઈને આપ્યું બયાન

મુંબઈ:લિસ્ટના ગણાતા થયેલા અભિનેતા નેશનલ એવોર્ડ વિજેતા રાજકુમાર રાવે કહ્યું હતું કે હું દેશના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્માની બાયો-ફિલમ કરતો નથી. વિશે પ્રગટ થયેલા સમાચાર સાચા નથી.'વાસ્તવિકતા છે કે હજુ ફિલ્મ માટે મારો સંપર્ક સુદ્ધાં સાધવામાં આવ્યો નથી. મારા વિશે મિડિયામાં પ્રગટ થયેલા સમાચાર અંગે મારું ધ્યાન દોરવામાં આવ્યું હતું. પરંતુ સાચું કહું તો મને પોતાને સમાચારથી નવાઇ લાગી હતી કારણ કે હજુ મારો સંપર્ક સાધવામાં આવ્યો નથી કે મને સાઇન કરવામાં આવ્યો નથી' એમ રાજકુમાર રાવે કહ્યું હતું.મૂળ ફિલ્મ માટે આમિર ખાનને સાઇન કરવામાં આવ્યો હતો. પરંતુ એની અન્ય ફિલ્મ યશ રાજની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન સાથે ફિલ્મની તારીખો ક્લેશ કરતી હોવાથી એણે પોતાને બદલે શાહરુખ ખાનને લેવાની ભલામણ કરીને ફિલ્મ છોડી દીધી હતી. ત્યારબાદ શાહરુખ ખાન ફિલ્મ કરશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.પરંતુ તાજેતરમાંં રજૂ થયેલી શાહરુખ ખાનની આનંદ એલ રાય નિર્દેશિત ફિલ્મ ઝીરો બોક્સ ઑફિસ પર પીટાઇ ગયા બાદ શાહરુખ ખાને પણ ફિલ્મ છોડી દીધી હતી અને કહ્યું હતું કે હવે હું વધુ પ્રયોગો કે અખતરા કરવા માગતો નથી.ત્યારબાદ પહેલું નામ સુશાંત સિંઘ રાજપૂતનું આવ્યું હતું. એવા અહેવાલો પણ પ્રગટ થયા હતા કે રાકેશ શર્માની બાયો-ફિલ્મ સુશાંત સિંઘ રાજપૂત કરશે. જો કે તરત એવી સ્પષ્ટતા થઇ હતી કે અહેવાલ ગોસિપ છે. રાકેશ શર્માની બાયો-ફિલ્મનું પ્લાનિંગ કરી રહેલા લોકોએ તો સુશાંતનો સંપર્ક સાધ્યો છે કે તો રાજકુમાર રાવનો સંપર્ક સાધ્યો છે.વિશે પૂછતાં રાજકુમાર રાવે કહ્યું કે મારો સંપર્ક સાધવામાં આવશે તો હું વિશે વિચારીશ.

(6:43 pm IST)