Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ભાજપ અગ્રણી દિવ્‍યરાજસિંહ ગોહીલનો આજે જન્‍મ દિવસ

રાજકોટ તા. ૧૬ : રાજકોટ શહેર ભાજપ અગ્રણી, ક્ષત્રિય સમાજના યુવા આગેવાન અને જાણીતા એસ્‍ટ્રોલોજર દિવ્‍યરાજસિંહ ગોહિલ (ભગતભાઈ)નો આજે જન્‍મદિવસ છે. તળાજા તાલુકાના કુકડ ગામના વતની અને હાલ રાજકોટને પોતાની કર્મભૂમિ બનાવનાર દિવ્‍યરાજસિંહ ગોહિલ આજે જીવનના ૪૬ વર્ષ પૂર્ણ કરી ૪૭ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી માં વર્ષ ૨૦૧૩ થી ૨૦૧૬ સુધી ઉદ્યોગ સેલ માં કન્‍વીનર તરીકે અને વર્ષ ૨૦૧૬ થી ૨૦૨૩ સુધી શહેર ભાજપના મંત્રી તરીકે સંગઠનની જવાબદારી  સફળતા પૂર્વક નિભાવી હતી. આ ઉપરાંત  ક્ષત્રિય સમાજના મુખ્‍ય સંગઠન રાજકોટ જીલ્લા ક્ષત્રિય સમાજ માં ટ્રસ્‍ટી અને સંગઠનમંત્રી તરીકે જવાબદારી નિભાવે છે.  અને અનેક સામાજિક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે.પોતાના જ્‍યોતિષના શોખ ના કારણે ખૂબ મોટો ચાહક વર્ગ ધરાવે છે. સરળ, શાંત અને મળતાવડા સ્‍વભાવના કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવે છે. આજે જન્‍મદિવસ હોવાથી રાજકીય,સામાજિક  સહિત વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે.

(12:08 pm IST)