Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

રાજકોટ શહેર વાલી મંડળના પ્રમુખ ભરતભાઈ આહિરનો આજે જન્મદિવસ

રાજકોટઃ શહેર વાલી મંડળના પ્રમુખ ભરતભાઈ બી.આહિરનો આજે જન્મદિવસ છે. જામકંડોરણા જન્મભૂમિ અને રાજકોટને કર્મભૂમિ સિધ્ધ કરનાર ભરતભાઈએ સફળ જીવનના ૬૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. આહીર સમાજ સમુહલગ્ન સમિતિના પ્રણેતા હોવા સાથે રાજકોટ જીલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ, સૌરાષ્ટ્ર આહિર યુવકમંડળ ટ્રસ્ટના પ્રમુખ શ્રી યદુનંદન શરાફી સહકારી મંડળીના ચેરમેન સૌરાષ્ટ્ર કચ્છ પેસેન્જર એસોસીએશનના પ્રમુખ સહિત ૧૩ જેટલી સામાજીક સંસ્થાઓમાં સેવા આપી રહ્યા છે. (મો.૯૮૨૫૪ ૨૧૪૯૪)(૩૦.૨)

(11:55 am IST)