Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

પોરબંદરના એડવોકેટ અને સેવાભાવી ભરતભાઇ લાખાણીનો જન્મદિન

પોરબંદર તા. ર૧ :.. સાદગી, સેવા અને સજનતાના પર્યાયસમાં એડવોકેટ ભરતભાઇ લાખાણીનો આવતીકાલ તા. રર ના જન્મ દિવસ છે.

તેઓ ૧પ૦ વર્ષ કરતાં વધારે સમયથી એકધારા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા પરીવારના સાદગી, સેવા અને સજનતાના આગ્રહી હોય અને તેના કારણે જ રાધેશ્યામ મંદિર, સત્યનારાયણ મંદિર, કેદારેશ્વર મંદિર, સન્યાસી આશ્રમ તથા લોહાણા બાળાશ્રમ જેવી સંસ્થાઓ સાથે તેઓ સક્રિય સંકળાયેલા છે. અને લીઓ કલબ પોરબંદરના પુર્વ પ્રમુખ તથા પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોસીએશનના પણ પુર્વ પ્રમુખ તથા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી અને પોરબંદર લોહાણા જ્ઞાતિના આગેવાન તથા વકીલાત ક્ષેત્રે ઉમદા નામના ધરાવતા પ્રતિષ્ઠિત એડવોકેટ ભરતભાઇને તેમના જન્મ દિવસ નિમિતે તેઓને મો. નં. ૯૮રપ૦ ૧૩૬૭૮ ઉપર મિત્રો શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહેલ છે.

(11:29 am IST)