Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

શિક્ષણ સુધારણા ક્ષેત્રે અવિરત કાર્યરત

નિવૃત અધિક મુખ્ય સચિવ પી. પનીરવેલનો જન્મદિન

રાજકોટઃ ગુજરાતના આઈ.એ.એસ. કેડરના અધિક મુખ્ય સચિવ કક્ષાના નિવૃત અધિકારી શ્રી પી. પનીરવેલનો જન્મ તા.૧૭ સપ્ટેમ્બર ૧૯૫૩ના દિવસે થયેલ. આજે વાઈબ્રન્ટ જીવનના ૬૭માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેમણે એમ.એસસી. કર્યા બાદ ઓસ્ટ્રેલિયામાંથી એમ.બી.એ.ની પદવી મેળવી છે. ભૂતકાળમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત રાજયમાં શિક્ષણ, મહેસુલ, શ્રમ રોજગાર વગેરે વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. હાલ તેઓ કેન્દ્ર સરકાર પ્રેરિત 'સ્ટુડન્ટસ એચીવમેન્ટ ટ્રેકીંગ સિસ્ટમ' પ્રોજેકટ અંતર્ગત શિક્ષણ ક્ષેત્રે સમયને અનુરૂપ સુધારા માટે કાર્ય કરી રહ્યા છે. આ કામગીરીનું કાર્યક્ષેત્ર દેશના વિવિધ રાજ્યો છે. જેમાં શિક્ષણની ગુણવત્તા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ઉપરાંત શ્રી પી. પનીરવેલ સામાજિક ક્ષેત્રે પણ યોગદાન આપી રહ્યા છે. વધે તેમની નામના, એવી જન્મદિનની શુભકામના.

મો. ૯૯૭૮૪ ૦૬૧૦૯ - અમદાવાદ

(10:20 am IST)