Gujarati News

Gujarati News

News of Saturday, 14th September 2019

રાજકોટમાં વિવિધ સ્થાનો પર યાદગાર કામગીરી

ગુજરાત મહેસૂલ પંચના સભ્ય જે.કે. આસ્તિકનો કાલે જન્મદિન

રાજકોટ : ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં સભ્ય તરીકે કાર્યરત શ્રી જે.કે. આસ્તિકનો જન્મ ૧૯૫૬ના વર્ષની તા. ૧૫ સપ્ટેમ્બરે થયેલ. આવતીકાલે સિધ્ધાંતવાદી યશસ્વી જીવનના ૬૪માં વર્ષના દ્વાર ખટખટાવશે.

શ્રી જે.કે આસ્તિક અગાઉ રાજકોટમાં અધિક કલેકટર સંકલન, સૌરાષ્ટ્ર વિભાગીય નગરપાલિકા નિયામક, રૂડામાં મુખ્ય કારોબારી અધિકારી, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં મુખ્ય વહીવટી અધિકારી, સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી, નાગરિક  પુરવઠા વિભાગમાં નિયામક, અધિક ગ્રામ વિકાસ કમિશનર વગેરે પદ પર પ્રશંસનીય કામગીરી કરી ચૂકયા છે. તેઓ મૂળ અમદાવાદ જિલ્લાના ધોળકા પંથકના વતની છે. આઇ.એ.એસ કેડરમાંથી નિવૃત થયા બાદ સરકારે તેમની ઉત્તમ કામગીરીની કદરરૂપે મહેસુલ પંચમાં નિમણૂક આપી  છે. શુભત્વથી શોભતી તેમની કારકીર્દિ વહીવટી ક્ષેત્રે પ્રેરણારૂપ ગણાય છે.

ફોન નં. ૦૭૯-૨૫૫૦૬૫૯૧ મો. ૯૮૨૫૪ ૪૬૧૨૨ અમદાવાદ

(11:33 am IST)