Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

રાજકોટના એડવોકેટ એન્ડ નોટરી જયંતિલાલ ચૌહાણનો જન્મદિવસ

રાજકોટ તા.૧૩ : રાજકોટ બાર એશોસિએશનના સભ્ય તથા નોટરી એશોસિએશનના ભુતપુર્વ ઉપપ્રમુખ આરએસએસ સાથે વર્ષોથી સંકળાયેલ ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખાના સંગઠન મંત્રી તથા જામદુધઇ ગામના તમામ જ્ઞાતિ મંડળના ખજાનચીની જવાબદારી નિભાવી રહેલા જયંતિલાલ ગોપાલભાઇ ચૌહાણ એડવોકેટ એન્ડ નોટરીનો આજરોજ જન્મદિવસ છે. તેમના યશસ્વી જીવનના ૫૭ વર્ષ પુર્ણ કરી ૫૮માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

રાજકોટમાં ૧૯૮૯થી વકિલાતક્ષેત્રમાં સફળતાપુર્વક કાર્યરત રહ્યા બાદ ૨૦૦૧ થી નોટરી તરીકે કામગીરી કરે છે. આજે જે.જી.ચૌહાણને તેમના જન્મદિવસ નિમિતે મો. ૯૭૧૪૨ ૦૧૭૦૮ ઉપર સગા સબંધી સ્નેહીજનો તથા એડવોકેટ મિત્રો, સામાજિક શ્રેષ્ઠી ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રફુલગીરી ગોસ્વામી, મહામંત્રી જેઠસુરભાઇ ગુજરીયા તથા આનંદનગર શાખાના પ્રમુખ બકુલભાઇ દુધાત્રા, મંત્રી મહેશભાઇ તોગડીયા, વિજયભાઇ કારીયા તથા જીતેન્દ્રકુમાર ધ્રાંગધરીયા એડવોકેટ નોટરીએ જન્મદિવસની શુભેચ્છા પાઠવેલ છે.

(2:44 pm IST)