Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ડો. કિંજલબેન ભાયાણીના જન્મદિન નિમિતે કાલે વિનામુલ્યે નિદાન કેમ્પ

રાજકોટ તા. ૧૪ : જાણીતા હોમિયોપેથીક નિષ્ણાંત ડો. કિંજલબેન ભાયાણીનો કાલે તા. ૧૫ ના જન્મ દિવસ છે. જન્મ દિનની સેવામય ઉજવણી કરવા કાલે તા.૧૫ ના ગુરૂવારે સાંજે ૫.૩૦ થી ૭.૩૦ તેમના કિલનીક આભા અર્ક ઓફ લાઇફ, મેઘ મલ્હાર કોમ્પલેક્ષ, ગુરૂ ગોલ્વાલ્કર માર્ગ, ઇનકમ ટેક્ષ સોસાયટી, રાજકોટ ખાતે વિનામુલ્યે નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયુ છે. અહીં ઉલ્લેખનીય છે કે સદ્દગુરૂ સદ્દન ટ્રસ્ટ સંકુલ આશ્રમ રોડ, જુના કુવાડવા રોડ ખાતે આવેલ સદ્દગુરૂ હોમિયોપેથી કિલનીકમાં પણ તેઓ નિયમિત સવારે ૯.૩૦ થી ૧ સેવા આપી રહ્યા છે. જયાં દર્દીઓને ફકત રૂ.૨૦ માં ૭ દિવસની હોમિયોપેથીક દવા પણ આપવામાં આવે છે. (૧૬.૧)

(12:22 pm IST)