Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

જૈન અગ્રણી - પ્રખર ધારાશાષાી કમલેશભાઇ શાહનો જન્‍મદિવસ

સેવા ક્ષેત્રે અનોખુ વ્‍યકિતત્‍વ ધરાવતા

 

રાજકોટ : જાણીતા ધારાશાષાી અને જૈન અગ્રણી કમલેશભાઇ શાહનો આજે જન્‍મદિવસ છે. સેવા ક્ષેત્રે સદૈવ અગ્રેસર રહેનાર ધારાશાષાી કમલેશભાઇ શાહના જન્‍મદિવસે અભિનંદન વર્ષા થઇ રહી છે.

જૈન એડવોકેટ ફોરમના રાષ્‍ટ્રીય સદસ્‍ય, રાજકોટ બાર એસોસીએશનના પૂર્વ ઉપપ્રમુખ, રાજકોટ સ્‍થાનકવાસી જૈન મોટા સંઘ બંધારણ સુધારણા સમિતિના સદસ્‍ય, અજરામર સ્‍થાનકવાસી જૈન સંઘના ટ્રસ્‍ટી, એનિમલ હેલ્‍પલાઇન, કરૂણા ફાઉન્‍ડેશન, દિકરાનું ઘર, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ, સદ્‌ભાવના વૃધ્‍ધાશ્રમ સાથે કમલેશભાઇ શાહ જોડાયેલ છે. વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી શોભાયાત્રામાં ઉપાધ્‍યક્ષ તરીકે કાબિલેદાદ કાર્ય કરેલ. સ્‍વામિનારાયણ સંસ્‍થા સહિત અનેક ધાર્મિક અને સામાજીક સંસ્‍થાઓ સાથે તન - મન અને ધનથી સેવા આપે છે. અન્‍યથી અનોખું વ્‍યકિતત્‍વ ધરાવનાર, જૈન એકતાના હિમાયતી, સેવાભાવી સૌરાષ્‍ટ્રના ખ્‍યાતનામ એડવોકેટ કમલેશભાઇ શાહને વકીલાતનો વ્‍યવસાય વારસામાં મળ્‍યો છે. કમલેશભાઇ સેવારત હોય ત્‍યારે તેઓના લઘુબંધુ ધર્માનુરાગી જીજ્ઞેશભાઇ શાહ, શાહ એન્‍ડ શાહ એસોસીએટ્‍સ સંભાળે છે.

(3:51 pm IST)