Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

બિનવારસી મૃતકોના અગ્નિસંસ્‍કારની સેવા ચલાવતા રૂપસિંહનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ર૦: નિવૃત રેલ્‍વે કર્મચારી રૂપસિંહ શિવસિંહ પરમારનો આજે જન્‍મ દિવસ છે. દરિદ્ર નારાયણ સેવા એજ પ્રભુ સેવા તેમનો જીવનમંત્ર છે. જુદા જુદા નાના ગામડામાં નિહારની એલુમીનીયમ સીડઠી અર્પણ કરીને સરપંચને જવાબદારીથી સુપ્રત કરે છે. શિક્ષણ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્‍તે માનવ સેવા માટે રૂપિયા રપ,૦૦૦/- રોકડ અને પ્રશાસ્‍તિ-પત્ર પણ તેમને મળેલ છે. નિહારસીડી, પશુને લીલું કુતરાને રોટલા, બિસ્‍કિટ, પક્ષીઓને ચણા, બાળકોને સ્‍વીટ, પીપરમેન્‍ટ ચોકલેટ અર્પણ કરીને જન્‍મ દિવસ ઉજવણી કરશે. રૂપસિંહ પરમાર બિનવારશી બોડીને અગ્નિ સંસ્‍કાર, ઉપરાંત રેલ્‍વે સ્‍ટેશન, ફરજ બજાવી વગેરે યુનિયન પ્રવૃતિ કરીને સૌને સાથે સહકારથી નિવૃત જીવન વ્‍યતિત કરી રહ્યા છે. તેમના મો. ૯૯રપ૪ ૬૬૦૧૮ છે.

(5:20 pm IST)