Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

મહેસાણા પંથકના અગ્રણી પૂર્વ મંત્રી નારાયણભાઇ પટેલનો જન્મદિન

રાજકોટ : મહેસાણા પંથકના ભાજપના અગ્રણી શ્રી નારાયણભાઇ લલ્લુદાસ પટેલનો જન્મ તા. ૧૬ મે ૧૯૩૮ ના દિવસે ઉંઝામાં થયેલ. આજે ૮રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ખેતી અને વેપાર સાથે સંકળાયેલા છે. સતત પાંચ વખત ધારાસભ્ય તરીકે ચંૂટાયા હતાં. ર૦૦૧-૦ર ના વર્ષમાં રાજયના વાહન વ્યવહાર મંત્રી હતાં. ઉંઝા માર્કેટ યાર્ડ, નાગરીક બેંક, ઉમિયા માતાજી સંસ્થાન, કન્યા કેળવણી મંડળ, વિવેકાનંદ ટ્રસ્ટ, ઉતર ગુજરાત લોક કલ્યાણ ટ્રસ્ટ, રાજય માર્કેટીંગ ફેડરેશન વગેરે સંસ્થાઓમાં તેમનું મહત્વનું યોગદાન છે. મો.૯૮રપ૦ ૪૦ર૦૦ ઉંઝા

(11:26 am IST)