Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ડો.મહેશ શિંગાળાનો જન્‍મદિવસ

રાજકોટ : મુળ ખરેડી હાલ રાજકોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે પટેલ કલિનીક ધરાવતા અને ફેડરેશન ઓફ જનરલ પ્રેકટીસનર્સ ઓફ રાજકોટના પૂર્વપ્રમુખ તરીકે ઉતમ કામગીરી બજાવી ચુકેલ અને હાલમાં તેઓ ફેડરેશન ઓફ આયુષ ડોકટર્સ રાજકોટના ચેરપર્સન તરીકે કાર્યરત એવા ડો.મહેશ શિંગાળા આજે જન્‍મદિવસ છે. જીવનકાળનાં ૫૨માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. કોરોના મહામારીમાં પણ પોતાના અનેક દર્દી નારાયણને યોગ્‍ય માર્ગદર્શન અને પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર પોતાની કલીનીક ઉપર હંમેશા હાજર રહી સારવાર આપી રહ્યા છે.

આ રાહમાં તેઓના અર્ધાગ્રી ભાવનાબેન તેઓને હંમેશા સાથ આપતા રહ્યા છે સાથો સાથ ડો.મહેશ શિંગાળાનાં પગલે પગલે તેઓની સુપુત્રી કુમારી રૂત્‍વી હાલમાં એમ.બી.બી.એસ. પૂર્ણ કરી ઇન્‍ટરશીપમાં કાર્યરત છે. જન્‍મદિવસ તેઓના મિત્ર ડો.હિતેશ સરધારા તથા ડો.પ્રદિપ શિંગાળા, ડો.નરેન્‍દ્ર શિંગાળા, ડો.ભરતભાઇ વેકરીયાએ ખૂબ ખૂબ શુભેચ્‍છા પાઠવેલ છે. ડો.મહેશ શિંગાળાને મો. ૯૮૭૯૦ ૦૯૨૮૩ ઉપર જન્‍મદિવસની શુભેચ્‍છાઓ અનરાધાર વર્ષી રહી છે.

(5:12 pm IST)