Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પ્રવાસન નિગમના ઓ. એસ. ડી. આર.આર. ઠક્કરનો જન્‍મદિન

લોધિકાના પૂર્વ ટી.ડી.ઓ, રાજુલાના પૂર્વ પ્રાંત અધિકારી

રાજકોટ : મધ્‍ય ગુજરાતના મહીસાગર જિલ્લાના નિવાસી અધિક કલેકટર પદેથી નિવૃત્ત થયેલા શ્રી આર.આર.ઠક્કરનો જન્‍મ ૧૯૬૩ ના વર્ષની તા.ર મેના દિવસે થયેલ આજે ૬૦માં વર્ષની કેડીએ કદમ માંડયા છેે. તેમણે કારકિર્દિના પ્રારંભે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં ટી.ડી.ઓ. તરીકે તાલીમી કામગીરી કરેલ. રાજુલા અને ખેડબ્રહ્મા (સાબરકાંઠા) પ્રાંત અધિકારી, મહેસાણામાં જિલ્લા પુરવઠા અધિકારી, અમદાવાદમાં નિવાસી નાયબ કલેકટર માધ્‍યમિક શિક્ષણ બોર્ડમાં ઉપાધ્‍યક્ષ વગેરે સ્‍થાનો પર રહી ચૂકયા છ.ે  તેઓ નિવૃતિ પછી હાલ ગુજરાત પ્રવાસન નિગમમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત છે. વડનગરના પ્રવાસન દૃષ્‍ટિએ વિકાસ માટે ખાસ જવાબદારી સંભાળી રહ્યા છે. ફોન નં. ૦૭૯-ર૩રરર૦ર૯ મો. ૯૮૭૯પ ર૪૬૪૩ (ગાંધીનગર)

(2:55 pm IST)