Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ગુજરાત રાજયના અન્ન આયોગના ડિરેકટર દિનેશ કારીયાનો આજે જન્મદિન

રાજકોટ : ગુજરાત રાજયના અન્ન આયોગના ડિરેકટર દિનેશ કારીયાનો આજે જન્મદિવસ છે. શિશુકાળથી રાષ્ટ્રવાદના રંગે રંગાઈ આર.એસ.એસ. તથા ભાજપની વિચારધારાને આત્મસાત કરનાર દિનેશ કારીયા ૧૯૯૦ થી પાર્ટીમાં એક અદના કાર્યકર્તા તરીકે સેવા પ્રદાન કરી રહ્યા છે. રાજકીય ક્ષેત્રની સાથોસાથ અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાઈ અને સેવાકીય પ્રવૃતિને જેમણે આદત બનાવી છે, તદ્દઉપરાંત વેપારમાં સારી નામના પ્રાપ્ત કરનાર એક બિઝનેસમેન તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી છે. તેઓ રાજકોટ શહેર ભાજપના કોષાધ્યક્ષ, મંત્રી, ઉપપ્રમુખ તેમજ પ્રભારી સહિતના વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક સુપેરે નિભાવેલ છે. હાલમાં ગુજરાત રાજય અન્ન આયોગના ડિરેકટર તથા ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનના પ્રમુખ, ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટી ટ્રેડર્સ એસોસીએશનના એકિઝકયુટીવ મેમ્બર તરીકે અને વેસ્ટર્ન રેલ્વે રાજકોટ ડીવીઝનમાં ડીઆરયુસીસી મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે. સાથોસાથ વોર્ડ નં.૩ના પ્રભારી તરીકે કામગીરી કરી રહ્યા છે. તેઓ ૩૫ વર્ષથી ચાના વેપાર સાથે જોડાયેલા છે. આજે બ્લેક ગોલ્ડ ટી શ્રી વલ્લભ ટી પ્રાઈવેટ લી. ના નામનો ચાનો બિઝનેસ પ્રારંભ કરી અને ટંૂકાગાળામાં મોટી નામના મેળવી છે. હાલમાં આ બિઝનેસ તેમના બંને પુત્રો સંભાળી રહ્યા છે. આજે તેઓ બાવન વર્ષ પૂર્ણ કરી ૫૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. મો.૯૬૨૪૦ ૩૫૯૩૫ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.

(11:40 am IST)