Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

બહારો ફુલ બરસાઓ, એડવોકેટ કા જન્મદિન આયા હૈ...

આજે પાર્થ જોષી માટે, કાલે નયન પજવાણી માટે રળિયામણી ઘડી

રાજકોટઃ. શહેરના બે જાણીતા યુવા એડવોકેટ માટે આજે અને આવતીકાલે જન્મદિનની વધામણીનો અવસર છે. બન્ને એક જ ઓફિસમાં કાર્ય કરી રહ્યા છે.

એડવોકેટ શ્રી પાર્થ પ્રફુલભાઈ જોષીનો જન્મ ૧૯૯૪ના વર્ષની ૪ જાન્યુઆરીએ થયેલ. આજે ચમકતા-દમકતા જીવનના ૨૭માં વર્ષની કેડીએ કદમ માંડયા છે. વાણિજ્ય સ્નાતક થયા બાદ વકીલાતની પદવી મેળવી રેવન્યુ ક્ષેત્રે ગતિ સાથે પ્રગતિ કરી રહ્યા છે. તેમનામાં શિસ્ત, સેવા અને સહકારનો સમન્વય છે. મો. ૯૦૩૩૩ ૪૮૯૮૭

સુપ્રસિદ્ધ એડવોકેટ રઘુવંશી રત્ન શ્રી નયન રમણિકભાઈ પજવાણીનો જન્મ તા. ૫ જાન્યુઆરી ૧૯૭૮ના દિવસે થયેલ. આવતીકાલે યશસ્વી જીવનના ૪૩માં વર્ષના દ્વાર ખટખટાવશે. તેઓ મૂળ મેંદરડાના વતની છે. નાગરિક બેંકના પેનલ એડવોકેટ પણ છે. તેઓ જૂનાગઢના જાણીતા વેપારી ઉમંગ હોઝીયરીવાળા ગિરીશભાઈ રૂપારેલના જમાઈ છે. ખંત, ખૂમારી અને ખેલદિલી તેમની આગવી ઓળખ છે. કાલના જન્મદિન નિમિતે આજથી જ તેમના પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે. મો. ૯૮૨૪૫ ૯૫૦૧૧ - રાજકોટ

(11:10 am IST)