Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

ગીર સોમનાથના પ્રેસ પ્રતિનિધિ ભાસ્કરભાઇ વૈદ્યનો જન્મદિવસ

પ્રભાસ પાટણ : ગીર સોમનાથના વિસ્તારના વયોવૃધ્ધ અખબાર પ્રતિનિધિ ભાસ્કરભાઇ વૈદ્યનો આજે જન્મ દિન છે. તેઓ ૮૦ વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.

સોમનાથ વિસ્તારમાં કોરોનાની મહામારીમાં કોવિડ સેન્ટરમાં તે સમાચાર વાવાઝોડામાં પણ ચાલુ વાવાઝોડાના અહેવાલ અખબારોને ઝડપી મોકલવામાં અગ્રસર હતા ઇતિહાસીક ધાર્મિક સામાજિક પ્રસંગો પણ રચનાત્મક રીતે અખબારોમાં મોકલતા ટીવી ચેનલોના સંવાદદાતા તરીકે સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ પુરસ્કૃત થયા છે. તેમના મો. ૯૪ર૬૮ ૩૪૩૩૧ ઉપર જન્મદિનની  શુભેચ્છા મળી રહી છે.

(11:51 am IST)