Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

અષાઢે વરસાદ અને સેવાના કામમાં ભરતસિંહ ચુડાસમા ભલા

ભાજપ અગ્રણી ભરતસિંહ ચુડાસમાનો જન્મદિન

રાજકોટ : શિસ્ત, સ્નેહ, સમર્પણ, સેવા અને સહકારના પંચામૃત ગુણ ધરાવતા રૈયા વિસ્તારના ભરતસિંહ ચુડાસમા આજે પ્રગતિશીલ જીવનના ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

ખૂબ મળતાવળા સ્વભાવના શ્રી ભરતસિંહ ચુડાસમા શ્રી ગુર્જર રાજપૂત યુવક મંડળના પ્રમુખ, ઇન્ડીયન ગ્રુપ (રૈયા)ના પ્રમુખ, શ્રી શકિત ગરબી મંડળ (રૈયા)ના પ્રમુખ, રૈયા સ્મશાન મુકિતધામના ટ્રસ્ટી તેમજ શિલ્પન ઓનીક્ષ સોસાયટીના ઉપપ્રમુખ તરીકે યશસ્વી કામગીરી કરે છે. ભાજપ અગ્રણી ભરતસિંહ ચુડાસમા છેલ્લા ૩૪ વર્ષથી (રૈયા)માં જન્માષ્ટમી મહાપર્વ ધામધૂમથી ઉજવે છે. ભરતસિંહ ચુડાસમાએ લોકડાઉનની સ્થિતિમાં ૨૫ દિવસ સુધી સેવાકાર્ય ચાલુ રાખેલ. ભરતસિંહ ચુડાસમાના જન્મદિને મો. ૯૮૯૮૧ ૬૬૭૮૯ ઉપર અભિનંદન વર્ષી રહ્યા છે.

(2:42 pm IST)