Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

૪ વખત મ્યુ. કમિશનર બનેલા અધિકારીનો વન પ્રવેશ

બહારો ફુલ બરસાઓ... આજ મુકેશકુમાર કા જન્મદિન આયા હૈ

રાજકોટઃ. ગુજરાતમાં ૩ અલગ અલગ મહાનગરોમાં ૧ વખત અને ૧ મહાનગરમાં બે વખત મ્યુનિસિપલ કમિશનર બનવાનો ઈતિહાસ સર્જનારા સનદી અધિકારી શ્રી મુકેશકુમાર આજે યશસ્વી જીવનના વન પ્રવેશની શુભેચ્છાથી ભીંજાઈ રહ્યા છે. (જન્મ તા. ૮ જુલાઈ ૧૯૭૦).

હાલ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી મુકેશકુમાર મૂળ બિહારના વતની અને ૧૯૯૬ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. તેમણે કાનપુર આઈ.આઈ.ટી.થી ઈલેકટ્રીકલ એન્જીનિયરીંગની પદવી મેળવી છે. ભૂતકાળમાં વડોદરામાં મદદનિશ કલેકટર, ડાંગમાં જિલ્લા કલેકટર, રાજકોટ-ભાવનગર અને અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર (અમદાવાદમાં બીજી વખત નિમણૂક), મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં કમિશનર, સર્વશિક્ષા અભિયાન નિયામક, ઈન્ડેક્ષ બી-માં મેનેજીંગ ડીરેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. આઈ.આઈ.ટી. રામ તરીકે પ્રખ્યાત એન્જીનિયરીંગ કોલેજ, મણિનગર અમદાવાદના પ્રથમ નિયામક તરીકે પાયાની કામગીરી કરવાનો જશ તેમને મળેલ. રાજકોટમાં તેમણે કમિશનર તરીકે કરેલી અન્યથી અનોખી કામગીરીને લોકો આજે'ય યાદ કરી રહ્યા છે.

ફોન નં. ૦૭૯ - ૨૫૩૯૧૮૧૧, મો. ૯૯૭૮૪ ૦૭૬૭૬ - અમદાવાદ

ઈમેઈલઃ mc@ahmedabadcity.gov.in

(11:27 am IST)