Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

જસદણનાં પરેશ સાવલીયાના જન્મદિને દેહદાનનો સંકલ્પ

આટકોટઃ જસદણના કમળાપુર ગામના વતની અને હાલ રાજકોટ રહેતા સાવલીયા પરેશભાઇ વલ્લભભાઇએ ગઇકાલે જન્મદિને દેહદાનનો સંકલ્પ કરી અનોખી રીતે ઉજવ્યો હતો.

મુળ કમળાપુર ગામના અને હાલ રાજકોટમાં વ્યવસાય કરતા પરેશભાઇનો ગઇકાલે જન્મદિવસ હોય જસદણ નગર પાલીકાના સંયોજક અંકિતભાઇ બોઘરા અને મનસુખભાઇ રામાણીએ પ્રોત્સાહીત કરતા તેમણે દેહદાનનો સંકલ્પ પત્ર ભર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજય યુવક બોર્ડ દ્વારા ગુજરાતના ગામડે-ગામડે લોકો મોટા પ્રમાણમાં દેહદાન, અંગદાન અને ચક્ષુદાનના સંકલ્પ લેવડાવવા કાર્યકરતા હોય અંકિત બોઘરાના પ્રયાસોથી પરેશભાઇ પ્રેરાયા હતા તેમના સંકલ્પથી તેમના મો.નં. ૮૦૦૦૮ ૯૮૭પર ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:22 am IST)