Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

એડવોકેટ - નોટરી મનિષ ચૌહાણનો આજે જન્‍મદિવસ

રાજકોટ : શહેરમાં ગાયત્રી નગર મેઇન રોડ ઉપર આવેલ રી કોમર્શીયલ કોમ્‍પ્‍લેકસમાં ઓફિસ ધરાવતા જાણીતા એડવોકેટ નોટરીશ્રી મનીષભાઇ બી. ચૌહાણનો આજે તા.ર૮ના જન્‍મદિવસ છે.  તેઓએ બી.કોમ. એલએબી., ડી.ટી. એલ.પી. સુધીનો અભયાસ કરી વકીલાતનો ઉમદા વ્‍યવસાય કરે છે અને દિવાની, ફોજદારી, રેવન્‍યુ ક્ષેત્રે પ્રેકટીસ કરે છે. અને ર૦૦૯ની સાલમાં કેન્‍દ્ર સરકારે તેમને નોટરી તરીકે લાયસન્‍સ આપેલ અને ત્‍યારથી નોટરી તરીકેની સેવા આપી રહયા છે સને ર૦૧૭માં નોટરી એસો. સહ સંગઠનમંત્રી તરીકે સફળ કામગીરી કરેલ છે. તેમના જન્‍મદિન નિમિતે નોટરી એસો. રાજકોટના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ તથા વકીલ મિત્રોએ તેમના જન્‍મ દિવસ નિમિતે શુભેચ્‍છાઓ પાઠવેલ છે. (મો.૯૪ર૬૪ ૪૪૦૧પ - ૯૯૦૯૧ ૧૩૩પ૭)     

(5:06 pm IST)