Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

જયોતિષી દિનેશભાઈ સવસાણીનો કાલે જન્મદિન

રાજકોટ : આવતીકાલે તા.૭ના રવિવારે શ્રી દિનેશભાઈ પરસોતમભાઈ સવાણીનો જન્મદિવસ છે. તેઓ જીવનના ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મદદનીશ શિક્ષક તરીકે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રાફુદડ ગામે ફરજ બજાવે છે. તેઓ સંગીત શિક્ષા વિશારદ છે તથા સંપૂર્ણપણે બ્લાઈન્ડ તથા અપરણીત છે. દિનેશભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ૧૧૧ હનુમાન ચાલીસાના પાઠ ગામેગામ કોઈપણ ચાર્જ લીધા વિના આખી રાત, કોઈપણ જાતનું ભોજન, પાણી લીધા વિના હારમોનીયમ સાથે જયોતિષી પણ છે, ગીતાજીના દરેક શ્લોક પૂર્ણપણે કંઠસ્થ છે. સંકિર્તન મંદિરમાં રામધૂન પણ રજૂ કરે છે. (મો.૯૯૧૩૨ ૯૯૬૫૪)

(3:35 pm IST)