Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

ક્રિષ્ના પાર્ક ગ્રુપના ચેરમેન હરીભાઈ કણસાગરાનો આજે જન્મદિવસ

રાજકોટ : ક્રિષ્ના પાર્ક ગ્રુપના ભિષ્મ પિતામહ હરીભાઈ ગોવિંદભાઈ કણસાગરાનો આજે જન્મદિવસ છે. માણાવદર તાલુકાના વડા ગામે તા.૪-૭-૧૯૫૭માં સામાન્ય ખેડૂત પરીવારમાં જન્મેલ હરીભાઈ કણસાગરા મેટ્રીક પાસ થઈ ૧૯૭૯માં રાજકોટ આવી નાની એવી લારીમાં રેસ્ટોરન્ટ શરૂ કરેલ. બાદ ક્રિષ્ના પાર્ક ગ્રુપની સ્થાપના કરી તેઓ ગૌપ્રેમી તેમજ સમાજ સેવક પણ છે. પટેલ પ્રગતિ મંડળના ટ્રસ્ટી તેમજ કણસાગરા ચેરી. ટ્રસ્ટના પ્રમુખપદ પણ શોભાવેલ છે, ધારાસભા અને લોકસભાની ચૂંટણી પણ લડેલ છે. રાજકોટની સ્વાદપ્રિય જનતાને હોટલ ક્રિષ્ના પાર્ક, રાજકોટ, ક્રિષ્ના નેચરોથેરાપી / રીલેક્ષેશન સેન્ટર-રાજકોટ, ક્રિષ્ના પાર્ક રીસોટ્ર્સ - દીવના ચેરમેન તરીકે કાર્યરત છે. ટૂંક સમયમાં જ સોમનાથ - વેરાવળ ખાતે આધુનિક હોટલનું નિર્માણ પણ હરીભાઈની આગેવાની હેઠળ શરૂ કરવામાં આવેલ છે. તેઓના નેજા હેઠળ નવરાત્રી દરમિયાન ગરબી મંડળની બાળાઓ માટે જમણવાર તથા ક્રિષ્ના વોટર પાર્કની નિઃશુલ્ક એન્ટ્રી ટીકીટ પણ આપતા રહ્યા છે. અનાથાશ્રમના બાળકોને પણ દર વર્ષે ફ્રી વોટરપાર્કની ટીકીટો આપવામાં આવે છે. ક્રિષ્ના નટખટનું ટોકન ચાર્જ નવરાત્રી મહોત્સવનું પણ આયોજન થાય છે. આજરોજ તેમના જન્મદિવસે ભાઈ સુરેશભાઈ, સંજય, જય તથા ક્રિષ્ના પાર્ક સ્ટાફ પરીવારે શુભેચ્છા પાઠવી છે. જીવનના ૬૨ વર્ષ પૂર્ણ કરી ૬૩માં વર્ષમાં પ્રવેશ કરી રહેલા હરીભાઈને મો.૯૮૨૪૨ ૮૪૧૦૫ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.

(3:09 pm IST)