Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

જેતપુર શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાનમાં મુખ્ય કોઠારી પૂ. નિલકંઠચરણદાસ સ્વામીનો જન્મદિવસ

સુરતમાં સંતો-હરિભકતો દ્વારા ઉજવણી

 જૂનાગઢ તા.૧૩: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખરને વિદ્વાન શાસ્ત્રી સદ્દગુરૂશ્રી નિલકંઠચરણદાસ સ્વામીનો આજે ૬૦મો જન્મ દિવસ છે.

તા. ૧૩-૩-૧૯૫૯ના રોજ જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલ શ્રી નિલકંઠ સ્વામી બચપણથી જ ભકિતમય જીવન વિતાવીને જેતપુર શ્રી સ્વામિનારાયણ મંદિર તિર્થધામના કોઠારી સદ્દગુરૂ શ્રી હરજીવન સ્વામી પાસે દિક્ષા લઇ સન્યાસી જીવન સ્વીકાર કરીને ધર્મની ધુરા સંભાળી દિવસ-રાત ભજન કિર્તન કથા કરીને હરિભકતોને ભગવાનમય અને સદ્દગુણી બનાવ્યા છે.

આજે સાંજે ૭ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી સુરતશ્રી સ્વામિનારાયણ મિશન લસકાણા તેમના ભકતો દ્વારા ભાવભેર ધુન-ભજન ર્કિતન કથા સાથે જન્મદિવસ ઉજવવામાં આવી રહયો છે તેમજ સ્વામીજીનું આયુષ્ય દિધાર્યું બને તેમજ તેમના દ્વારા સત્સંગનો વિકાસ વધતો રહે એવી ઘનશ્યામ મહારાજના ચરણોમાં હરિભકતો પ્રાર્થના કરી રહ્યા છે. આજે સુરતના લસકાણાશ્રી સ્વામિનારાયણ મિશન દ્વારા હરિભકતો દ્વારા સ્વામીજીનું પૂજન અર્ચન અને ભાવવંદના સાથે અને સંતો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવશે આજે તેઓના જન્મદિન નિમિતે તેમના મો.નં. (૯૩૭૭૭ ૧૩૩૫૯) ઉપર સંતો હરિભકતો શુભેચ્છા પાઠવી રહયા છે.

(4:06 pm IST)