Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

વ્હોરા સમાજના દિવગંત ધર્મગુરૂની ૧૦૪મી જન્મજયંતિ

જસદણ તા.૬: વિશ્વભરના લાખો દાઉદી  વ્હોરા સમાજના દિવગંત બાવનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ)ડો.સૈયદના અબુલ કાઇદ જાહેર મોહંમદ બુરહાનુદીન સાહેબ (રિ.અ.)ની આજે અંગ્રેજી તારીખ મુજબ ૧૦૪મી જન્મજયંતિ હોવાથી વ્હોરા સમાજ આજે ગર્વભેર યાદ કરશે. ઇસ્વીસન ૧૯૧૪માં દેહવિલય પામનારા માનવતાંવાદી ડો.સૈયદના સાહેબએ એક ધર્માચાર્ય તરીકે વ્હોરા સમાજમાં વર્ષો સુધી એક એવી સેવા આપી. જેના કારણે સમાજ તંદુરસ્ત બન્યો અને સાથોસાથ ગરીબ, બેરોજગારને પણ બળ મળયું તેમણે આરોગ્ય, શિક્ષણ, ધાર્મિકતા, ઇમાનદારી રહેઠાણ જેવા માનવજીવનને સ્પર્શતા પ્રશ્ને પણ ખાસ ધ્યાન આપ્યું ખાસ કરીને તેમણે સમાજના લોકોને એકટંકનું વિનામૂલ્યે ભોજન મળી રહે તે યોજનાના અમલથી છેલ્લા છ વર્ષથી વિશ્વના અનેક દેશોના હજારો વ્હોરા પરિવારોને આજે પણ ઘરબેઠા તૈયાર ભોજન મળી રહ્યું છે.

(11:51 am IST)