Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

વરસે વર્ષગાંઠની શુભેચ્છાના વાદળો, નખશીખ ભીંજાય ડો. મનીષ દોશી

રાજકોટ : ગુજરાતના જાહેર જીવનના ગગનમાં વર્ષોથી ચમકતા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશી માટે આજે અન્યથી અનોખો દિવસ ઉગ્યો છે. આજે તેમણે સેવાભાવી અને પ્રભાવી જીવનના સ્વર્ણિમ જયંતી વર્ષમાં પ્રવેશ કર્યો છે. (જન્મ તા. ૧૭ જુલાઇ ૧૯૬૯) હાલ અમદાવાદ સ્થિત ડો. મનીષ દોશી મૂળ ઝાલાવાડના વતની છે. ગુજરાત યુનિવર્સિટીના સીન્ડીકેટ સભ્ય રહી ચૂકયા છે. વિદ્યાર્થીઓ માટે કારકીર્દિમાં ઉપયોગી પુસ્તકોનું સંપાદન તેઓ કરે છે. બૌદ્ધિક શકિત અને માહિતીના જથ્થાના કારણે જાહેર ચર્ચા વખતે તેઓ પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે છે. શિસ્ત, સેવા અને સહકારનો ત્રિવેણ સંગમ તેમનામાં છે. તેમને હેપ્પી બર્થ ડે.. મો. ૯૪ર૬૦ ૦૧પ૯૯ અમદાવાદ

 

 

(11:40 am IST)