Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2024

દૈવતસિંહ જાડેજા નો ૭૧મો જન્‍મદિવસ

રાજકોટ, તા. ર૧ :   ક્ષત્રિય સમાજના અગ્રણી દૈવતસિંહ બી. જાડેજા (ચાંદલી) નો આજે જન્‍મદિવસ છે તેઓ ૩૯ વર્ષથી સામાજીક સેવાઓ સાથે જોડાય સેવાકીય પ્રવળત્તિ કરી રહ્યા છે . તેઓ દ્વારા આર્થિક નબળા પરિવારો માટે ટોકન દરે ચોપડા વિતરણ તથા નબળા વર્ગના બાળકો  ને નાણાકીય સહાય આપવામાં આવે છે . આ ઉપરાંત વિધવા સહાય યોજના માં અમળતમ કાર્ડ યોજના ,બ્‍લડ કેમ્‍પ , કોરોના કાળ દરમિયાન અનાજ કીટ  વિતરણ જેવા અનેક  સેવાકીય કાર્યો કરે છે . ક્ષત્રિય સમાજની સંસ્‍થા ચંદ્રસિંહ ભાડવા સ્‍ટડી સર્કલ ,કચ્‍છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા એસોસીએશન, હરભમજી રાજ ગરાસિયા, છાત્રાલય ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ મંત્રી તરીકે ની જવાબદારી સંભાળી છે અને હાલ માં શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય સંચાલિત તાલીમ કેન્‍દ્ર - રાજકોટ ખાતે વિવિધ સરકારી ભરતીઓ ના કલાસીસ નું સંચાલન કરી રહ્યા છે.  આજે તેમના જન્‍મદિને મો. ૯૦૯૯૦૦૦૩૩૩ પર શુભકામનાઓ મળી રહી છે.

 

 

 

(4:44 pm IST)