Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

નિલેષભાઈ કોઠારીનો આજે જન્મદિવસ

યુનિ. રોડ જૈન મૂર્તિપુજક સંઘના ટ્રસ્ટી

રાજકોટઃ તા.૨૧, અહિંના શ્રી સુમતિનાથ જીનાલય-યુનિવર્સિટી રોડ જૈન મૂર્તિપૂજક સંઘના ટ્રસ્ટી/ખજાનચીશ્રી તેમજ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ રોયલનાં પ્રમુખશ્રી, જૈનમ ગ્રુપ અને જૈન વિઝનના કારોબારી સભ્ય અને જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ માટે તન, મન અને ધનથી તત્પર, એવાં ધર્મપ્રેમી જૈન શ્રેષ્ઠી  નિલેષભાઈ હસમુખભાઈ કોઠારીનો આજે  જન્મદિવસ છે.

નાનપણથી જ ધર્મના ઉચ્ચ સંસ્કારો દ્વારા તેમનો ઉછેર થયો. રાષ્ટ્ર સંત પ. પૂ. આચાર્ય પદ્મસાગરસૂરીશ્વર મ. સા., પ. પૂ. આચાર્ય અરૂણોદયસૂરીશ્વર મ. સા., પ. પૂ. આચાર્ય દેવેન્દ્રસાગરસૂરીશ્વર મ. સા., પ. પૂ. આચાર્ય અરવિંદસાગરસૂરીશ્વર મ. સા., પ. પૂ. આચાર્ય યશોવિજયસૂરીશ્વર મ. સા. તેમજ પ. પૂ. આચાર્ય પ્રદિપચન્દ્ર સૂરીશ્વર મ. સા. ના તેમના અને તેમના પરિવાર પર હંમેશના આશિર્વાદ છે. નાની વયથી જ તેઓએ અનેક ધાર્મિક અનુષ્ઠાનો સ્વદ્રવ્યથી કર્યા અને કરાવ્યા છે. સમાજ-સેવા અને દાનમાં પણ તેઓ હંમેશા અગ્રેસર હોય છે અને તેમના ધર્મપત્નિ શ્રીમતિ બીજલબેન તેમજ સંતાનો સાગર અને ચાંદની પણ તેમની સાથે ખભે ખભો મેળવી સામાજિક અને ધાર્મિક કાર્યોમાં સહકાર આપે છે.

આજરોજ તેમના જન્મદિન નિમિતે તેઓએ દેરાસરમાં પૂજા અને નવકાર-મંત્રનાં જાપ કરાવ્યા છે. આ ઉપરાંત સદભાવના વૃદ્ઘાશ્રમમાં ૧૦૦ જેટલાં વડીલો માટે રસ-પૂરીનું જમણ રાખી અનોખી રીતે પોતાનો જન્મદિન મનાવ્યો.

સદા પરોપકારી સરળ અને શાંત સ્વભાવ અને મુખ પર હંમેશા સ્મિત રાખનાર શ્રી નિલેષભાઈ કોઠારીને (૯૩૭૭૭ ૭૭૬૦૧)  ઉપર ચિર-આયુ   જન્મદિનની  શુભેચ્છાઓ વરસી રહી છે.

(4:27 pm IST)