Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

પરમાર ક્ષત્રિય સમાજ મુળ ચોવીસીના મંત્રી રાજેન્દ્રસિંહનો આજે જન્મદિવસ

રાજકોટ : શ્રી પરમાર ક્ષત્રિય સમાજ મુળી ચોવીશી રાજકોટના માનદ મંત્રી રાજેન્દ્રસિંહ જે. પરમાર આજે જીવનના ૬૨ વર્ષ પુરા કરી ૬૩માં પ્રવેશ કરી રહ્યા છે. મુળગામ મુળી નાયાણીયા વતની અને ખેતીવાડી ખાતાના નિવૃત કર્મચારી છે. છેલ્લા ૨૪ વર્ષથી પરમાર સમાજના મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. સાથે સાથે શ્રી રાજ શકિત ક્ષત્રિય યુવક મંડળના છેલ્લા ૮ વર્ષથી પ્રમુખ તરીકે તેમજ રાજાભોજ જન કલ્યાણ સેવા સમિતિ મધ્યપ્રદેશના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી તરીકે પણ સેવા આપી રહ્યા છે. તેઓ રાજાભોજ જન કલ્યાણ સેવા સમીતી દ્વારા રાજાભોજ અલંકાર એવોર્ડથી તેમજ રાજપુતાના સહિયર મહિલા ગ્રુપ જામનગર દ્વારા રાજપુત રત્ન એવોર્ડથી સન્માનિત થયેલ છે. આ ઉપરાંત કેવાયસી પત્રિકા જોધપુર દ્વારા રાજપુત પ્રતિભા એવોર્ડથી ૨૦૧૯માં સન્માનિત થઈ ચુકયા છે. તેઓએ ખેતીવાડી ખાતાના યુનિયનમાં પણ ૧૫ વર્ષ સહમંત્રી તરીકે સેવા આપી હતી. મો.૯૯૨૫૨ ૪૮૨૫૯ છે.

(2:37 pm IST)