Gujarati News

Gujarati News

News of Monday, 6th July 2020

ઉમદા વ્યકિતત્વ : સરળ સ્વભાવ : નાના માણસોની સહાય એ જ જીવનમંત્ર

શ્રી શિવશકિત શરાફી મંડળીના ચેરમેન શ્રી હરગોપાલસિંહ જાડેજાનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૬ : સંપ, સેવા, સહકાર, સમન્વય અને સાદગીના સહકારી પ્રવૃત્તિના આદર્શ સિધ્ધાંતોને વરેલી એક અડિખમ અને સતત પ્રગતિ કરી બેંકોને પણ ઝાંખી પાડી દેતી એવી રાજકોટની શાન સમી અને ગૌરવ લઇ શકાય એવી શ્રી શિવશકિત શરાફી સહકારી મંડળી લિ.ના ચેરમેન શ્રી હરગોપાલસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. તા. ૬-૭-૫૧ના રોજ જન્મેલા 'બાપુ'ના ઉપનામથી સર્વત્ર આદરપૂર્વક ઓળખાતા શ્રી હરગોપાલસિંહ જાડેજા આજે ૧૨૦૦૦થી વધુ સભાસદ પરિવારોનું નેતૃત્વ સંભાળી તેમને કોઇપણ આર્થિક કે સામાજિક પ્રશ્નમાં એક વડિલની જેમ ઉભા રહી તેમને મદદ કરી રહ્યા છે. સ્વભાવે અત્યંત સરળ અને મળતાવડા શ્રી હરગોપાલસિંહ જાડેજા મંડળી ઉપરાંત બીજી અનેક સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા છે. સમાજના નાના માણસોનો વિકાસ, ઉત્કર્ષ અને તેઓને સહાય એ જ બાપુનો જીવનમંત્ર હોવાથી સૌ કોઇ તેમને આદર-સત્કાર આપી રહ્યા છે. આજે તેમના જન્મદિવસે તેમને મિત્રો, શુભેચ્છકો, સહકારી આગેવાનો, કમિટિના સભ્યો, સગા-સંબંધીઓ, કર્મચારીઓ, એજન્ટો, તરફથી જન્મદિવસની શુભકામના (ફોન નં. ૦૨૮૧ - ૨૩૭૫૮૭૬) પાઠવવામાં આવી રહી છે.

(10:08 am IST)