Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

અમદાવાદ સર્કીટ હાઉસના મેનેજર પ્રવીણભાઈ ધોળકિયાનો જન્મદિન

જામકંડોરણાનું જશાપર વતનઃ જૂનાગઢથી કારકીર્દિ પ્રારંભ

રાજકોટઃ. મૂળ જામકંડોરણા પંથકના જશાપર ગામના વતની પ્રજાપતિ શ્રેષ્ઠી શ્રી પ્રવીણભાઈ ધોળકિયાનો જન્મ ૧૯૬૨ના વર્ષની ૧૯ જુલાઈએ થયેલ. આજે ૫૮માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે. તેઓ અમદાવાદ એનેક્ષી સર્કીટ હાઉસના મેનેજર તરીકે ફરજ બજાવે છે.

ગુજરાત સરકાર હસ્તકના સર્કીટ હાઉસ, અતિથિ ગૃહોના મુખ્ય વ્યવસ્થાપક અધિકારીઓના સંગઠન ગુજરાત ગેસ્ટ હાઉસ મેનેજર્સ એસો.ના તેઓ પ્રમુખ છે. તેમણે જૂનાગઢ કલેકટર કચેરીથી કારકીર્દિનો પ્રારંભ કરેલ. ઉપલેટા, સુરેન્દ્રનગર, ગાંધીનગર સરકારી અતિથિ ગૃહમાં ઉપરાંત ગાંધીનગર એમ.એલ.એ. હોસ્ટેલના મેનેજર તરીકે યશસ્વી કામગીરી કરી છે. સરકારે તેમની ફરજનિષ્ઠાની કદરરૃપે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમનુ સન્માન કર્યુ હતુ. આજે જન્મદિન નિમિતે પ્રવીણભાઈ ધોળકિયા પર મુશળધાર શુભેચ્છા વરસી રહી છે.

ફોન નં. ૦૭૯-૨૨૮૬૬૩૪૩, મો. ૯૮૭૯૫ ૪૩૫૯૫ - અમદાવાદ

(2:21 pm IST)