Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

યુવા એડવોકેટ ફરીદમદની પરાસરાનો જન્મદિનઃ ૨૭માં વર્ષમાં પ્રવેશ

રાજકોટઃ સોરાષ્ટ્ર – કચ્છમાં અકસ્માત વીમા કલેઇમ કેસની તથા વીમા કંપનીના ઇન્વેસટીગેટર તરીકે પ્રેકટિસ કરતા યુવા ધારાશાસ્ત્રી ફરીદમદની એ. પરાસરા નો આજરોજ તા.૨ના રોજ જન્મ દિવસ છે. જેમણે જીવનરૂપી સફરમાં ૨૬ વર્ષ પૂર્ણ કરી ૨૭ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

વાંકાનેર તાલુકાનું અશરફનગર (સિંધાવદર) ગામ જન્મભુમી હોય છેલ્લા - ૭ વર્ષ થી રાજકોટને પોતાની કર્મભુમી બનાવી સોરાષ્ટ્ર – કચ્છના અનેક નામાંકીત અકસ્માત વીમા કલેઇમ કેસોમાં પ્રતિનિધીત્વ કરી રહ્યા છે. મોટા ગજાની વીમા કંપનીઓ ના સિનિયર પેનલ ઇન્વેસ્ટીગેટર રકીફ એ.કંડિયા સાથે છેલ્લા – ૬ વર્ષ થી આગ વીમો, માલ વીમો, ગાડી નુકશાની ના વીમા, કામદારોના વળતરના કેસોમાં, ગ્રાહક સુરક્ષા ને લગતા કેસોમાં ઇન્વેસ્ટીગેટર તરીકે પ્રેકટીસ કરીને અકસ્માત વીમા કલેઇમ કેસો તથા ગ્રાહક સુરક્ષા ને લગતા કેસોમાં એક આગવી છાપ ઉભી કરેલ છે. (મો.૯૬૮૭૨ ૩૭૯૯૧)

(11:41 am IST)