Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

જસદણ વીંછીયા પંથકના સેવાભાવી સંજય વિરોજાનો જન્મદિવસ

જસદણ તા.૨૬: જસદણ, વીંછીયા પંથકમાં મન લગાવી સેવાકીય કાર્યમાં તરબોળ રહેનારા સંજયભાઈ વિરોજાનો આજે મંગળવારે જન્મદિવસ હોવાથી તેમને શિયાળાના પગરવમાં ગુલાબી ઠંડી જેવી ઉમળકાભેર શુભેચ્છા સવારથી રૂબરૂ, અને ટેકનોલોજીના વિવિધ માધ્યમો દ્વારા માધ્યમો દ્વારા મળી રહી છે ૨૬ નવેમ્બર ૧૯૭૮માં જન્મેલા સંજયભાઈ આજે પોતાની જીવનયાત્રાના ૪૧ વર્ષ પૂર્ણ કરી ૪૨ વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે સામાન્ય રીતે હાલનાં ઝડપી સમયમાં લોકોને પોતાના પરિવાર સાથે પણ બેસી વાતો કરવાનો સમય નથી આવા માહોલ વચ્ચે સંજયભાઇ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, માનવતા ગ્રુપ, માનવ સેવા સમિતિ, તથા કાપડ એસોસીએશનના પ્રમુખ તરીકે એક જવાબદારી સાથે પોતાના ભાગે આવેલું કામ સવાગણું કરી સમાજને અર્પણ કરે છે આ ઉપરાંત તેવો પોતાની ટીમના કાર્યશીલ સભ્યો સભ્યો સાથે કોઈ પણ જાતના દેખાવ, અભિમાન વગર નમ્રતાપૂર્વક છેલ્લા ૧૫ વર્ષમાં ૨૮ સર્વ રોગ નિદાન કેમ્પ, મેડીકર સાધન સહાય, ગરીબ બાળકોને ભોજન જેવાં સદકાર્યો કરી અત્યાર સુધીમાં હજારો દર્દીઓ, ગરીબોના જીવનમાં અજવાળા પાથરવાનું ભગીરથ કાર્ય કરેલ છે અને લટકામાં પોતે પણ ૨૫ વખત રકતદાન કરી એક ખરાં અર્થમાં એક માણસ તરીકે જરૂરીયાતમંદ માણસને કામ આવી મુઠ્ઠી ઉંચેરૂકાર્ય કાર્યને તેઓએ આગળ ધપાવતા બન્ને તાલુકામાં એક આગવી ઓળખ ઉભી કરી છે આજે પણ તેઓના જન્મદિવસે શહેરની સરકારી હોસ્પિટલમાં પ્રસુતાઓને શુદ્ધ ઘી નો શીરો ફ્રૂટ્સ ચા બિસ્કિટ અને ત્યાં કોઈ પ્રસુતાને પુત્રીનો જન્મ થયો હોય તેમને શુકન રૂપે રોકડ રકમનું કવર આપવામાં આવેલ છે સમાજમાં  ફૂલ નહિ તો પાંખડીરૂપે પોતાનું યોગદાન આપનારાં સંજયભાઈ વિરોજા (મો ૯૮૨૪૨૧૮૦૮૫) ઉપર તેમને શુભેચ્છકો, મિત્રો, વેપારીઓ, પરિચિતો સવારથી જ ખુશનુમા વાતાવરણમાં જન્મદિવસના અભિનંદન વરસાવી રહ્યાં છે.

(11:50 am IST)