Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

રાજકોટ શહેર કોંગીના મહામંત્રી અલીઅસગર શાકીરનો જન્મદિન

રાજકોટઃ શહેર કોંગ્રેસના મહામંત્રી, દાઉદી વ્હોરા સમાજના અગ્રણી તથા અંજુમને હાતીમી કમિટી સંચાલિત પી.આર.ઓ. એન્ડ ટી.એન.સી.કમિટીના બોર્ડ મેમ્બર શ્રી અલીઅસગર હાતીમભાઇ શાકીરનો આજે જન્મ દિવસ છે. તેઓ છેલ્લા ૨૬ વર્ષોથી દર્દીનીે લોહીની વ્યવસ્થા કરી આપવામાં કાર્યરત છે, તથા તેઓ યંગ એડવેન્ચર્સ ગ્રૃપનાં પ્રેસીડેન્ટ તરીકે પણ સેવા આપે છે. તેમના જન્મ દિન નિમિત્તે કેન્દ્ર સરકાર તથા રાજય સરકારના પદાધિકારીઓ તથા વોરા સમાજના આવેવાનો, પ્રતિનિધીઓ અને મિત્ર વર્તુળ તથા તેમની સમગ્ર  ટીમે અભિનંદન સાથે સેવાકીય, સામાજિક અને રાજકીય પ્રવૃત્તિમાં આગળ વધવા શુભેચ્છા આપી હતી. મો.નં.૯૩૨૭૮ ૬૫૨૦૦ રાજકોટ

(11:24 am IST)