Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

પરિવાર સાથે માલદીવમાં રજા માણવા ગયેલા વિરાટને કોરોના થયેલો?

નવી દિલ્‍હીઃ ઈંગ્‍લેન્‍ડ જતા પહેલા કોરોનાનો ભોગ બન્‍યો હતો. આઈપીએલ બાદ કોહલી પત્‍ની અનુષ્‍કા શર્મા અને પુત્રી વામિકા સાથે રજાઓ ગાળવા માલદીવ ગયો હતો. ત્‍યાંથી પરત ફર્યા બાદ તે આ કોરોનાની ઝપેટમાં આવી ગયો હતો. ટાઈમ્‍સ ઓફ ઈન્‍ડિયાના સમાચાર અનુસાર કોહલી હવે તેમાંથી સ્‍વસ્‍થ થઈ ગયો છે.
જો કે કોહલી હાલ સંપૂર્ણપણે સ્‍વચ્‍છ છે અને ઈંગ્‍લેન્‍ડમાં ટીમ સાથે પ્રેકિટસ શરૂ કરી દીધી છે. તાજેતરમાં વિરાટ અને રોહીત ઈંગ્‍લેન્‍ડમાં શોપીંગ કરતા હોય તેવા ફોટા પણ સોશ્‍યલ મીડિયામાં શેર કર્યા હતા.

 

(4:24 pm IST)