Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં રોહિત પાંચ સદી ફટકારશે: સુનિલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી

ગાવસ્કરએ કહ્યું -રોહિત શર્મા વર્લ્ડ કપ 2019ના પ્રદર્શનને ફરીથી પુનરાવર્તન કરીને સારું પરફોર્મ્સ કરશે

નવી દિલ્હીઃ ભારતીય પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે રોહિત શર્માને લઈને ભવિષ્યવાણી કરી હતી. ગાવસ્કરનું કહેવું છે કે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરિઝમાં રોહિત શર્મા વર્લ્ડ કપ 2019ના પ્રદર્શનને ફરીથી પુનરાવર્તન કરીને સારું પરફોર્મ્સ કરી શકે છે. રોહિતે વર્લ્ડકપ 2019માં કુલ શદી ફટકારી હતી. અને આમ તેઓ એક વર્લ્ડકપમાં સૌથી શદી ફટકારનાર બેટ્સમેન બની ગયો હતો.

ગાવસ્કરનું માનવું છે કે રોહિત શર્મા આ દરમિયાન જે પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેશાડીને બેટિંગ કરી તે લાજવાબ હતી. અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરિઝમાં પણ આવું કરતા દેખાશે.

ગાવસ્કરે પીટીઆઈને કહ્યું કે અમે બે વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં વિશ્વકપમાં રોહિત શર્માની પાંચ અવિશ્વસનીય શદી જોવા મળી હતી. તેમણે ખૂબસૂરતીથી તાલમેલ બેસાડ્યો હતો. હવે બે વર્ષ બાદ વધારે અનુભવી છે. એટલા માટે તેઓ આ પ્રદર્શનમાં પુનરાવર્તન કરી શરે તો આશ્ચર્યચકિત ન થવું.

રોહીત શર્માએ ઇંગ્લેન્ડની સરજમીન ઉપર ઓપનર તરીકે પહેલી ટેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલના રૂપમાં રમી હતી. આ દરમિયાન તેમણે 34 અને 30 રનની ઇનિંગ રમી હતી.

રોહિતે બંને દાવની સારી શરુઆત કરી હતી. પરંતુ આને સારા સ્કોરમાં ફેરવી ન શક્યા. 4 ઓગસ્ટથી ભારતને ઇગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચ શ્રેણી રમવાની આશા છે. રોહિત આ મેદાનમાં મોટો દાવ રમશે

(12:40 pm IST)