Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

વેળાવદરમાં પુ.મોરારિબાપુની ઉપસ્થિતિમાં આવતીકાલે સંત મેળો યોજાશે : બપોરે 4 વાગ્યે ધર્મસભા

રાત્રીના સંતવાણીમાં વિજયદાન ભાઈ ગઢવી અને અમીષભાઈ વાઘેલા પોતાની કલાની પ્રસ્તુતિ કરશે.

વેળાવદર: ગારીયાધાર તાલુકાના વેળાવદર ખાતે વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા અનુસાર સાધૂ નિર્વાણના સ્મરણાર્થે સંત મેળાનું આયોજન થતું હોય છે. તેમાં વેળાવદરના સાધુ શ્રી જયંતિરામ બાપુ ગોંડલીયાના ધર્મ પત્ની શ્રીમતી કંચનબેન ગોંડલીયાના સ્મરણાર્થે સંત મેળાનું આયોજન આવતીકાલે પહેલી જુનને બુધવારે કરાયુ છે. જેમાં ધર્મ સભા સાંજે 4:00 યોજાશે અને તે ધર્મ સભામાં પૂજ્ય મોરારીબાપુ અને આશીર્વાદક ઉપસ્થિતિ રહેશે.

 આ ઉપરાંત સંતો શ્રી જસુબાપુ,શ્રી સીતારામબાપુ -ગોંડલ, શ્રી લક્ષ્મણ દાસબાપુ -શેલ ખંભાળિયા,શ્રી વિજયદાસ બાપુ- સતાધાર તથા શાસ્ત્રી શ્રી ધનશ્યામદાસજી લોયા સહિતના અન્ય સંતો પણ ઉપસ્થિત રહેશે. કથાકારશ્રી હિંમતરામ બાપુ તથા શ્રી ભજન વલ્લભ દાસજી સ્વામી પણ ખાસ હાજરી આપી આશીર્વચન પાઠવશે.

રાત્રીના સંતવાણીમાં વિજયદાન ભાઈ ગઢવી અને અમીષભાઈ વાઘેલા પોતાની કલાની પ્રસ્તુતિ કરશે.

આ સંતમેળામાં ઉપસ્થિત રહેવા અને તૈયારી અર્થે ગોંડલિયા પરિવાર ગ્રામજનોના સહયોગથી તૈયારી કરી રહ્યો છે.

(11:55 pm IST)