Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ધોરાજીમાં સોમવતી અમાસ અને શનિ જયંતિના પાવન પ્રસંગે શનિદેવના મંદિર ખાતે ભવ્ય મહોત્સવ યોજાયો

 ધોરાજી: ધોરાજીમાં સોમવતી અમાસ અને શનિ જયંતિના પાવન પ્રસંગે શનિદેવ મંદિર ખાતે ભવ્ય શનિ જયંતિ મહોત્સવ ઉજવાયો હતો
ધોરાજીના ઘાણી કોઠા રોડ ખાતે આવેલ પ્રાચીન શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર તથા શનિ દેવ મંદિર ખાતે વર્ષો બાદ સોમવતી અમાસ અને શનિ જયંતિ એક સાથે આવતા ભાવિક ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે શનિદેવ મંદિરના પૂજારી પૂજ્ય શ્રી જયેશ ભાઈ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે શનિ જયતી સવારે શનિદેવ મંદિર ખાતે મહાઆરતી સાથે પૂજા-અર્ચના કરવામાં આવેલું હતું

  આ પ્રસંગે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડએ દિવ્ય દર્શન મહા પૂજાનો લાભ લીધો હતો તેમજ શક્તિ ગ્રુપ દ્વારા શનિ જયંતિ મહોત્સવની જોરદાર ઉજવણી કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજે  હજારોની સંખ્યામાં મહાપ્રસાદનો લાભ ભાવિક ભક્તજનોએ લાભ લીધો હતો જે અંગે શક્તિ ગ્રુપના અશ્વિનભાઈ માંઢા દીપકભાઈ રાવરાણી રાજુભાઈ વઘાસિયા શૈલેષભાઈ પાડલીયા રાજુભાઈ હિરપરા પ્રકાશભાઈ રાવરાણી હિરેનભાઈ વિગેરે કાર્યકર્તાઓ દ્વારા શનિ જયંતિ મહોત્સવ નિમિત્તે મહાપુજા મહાઆરતીના દિવ્ય દર્શનનો લાભલીધો હતો તેમજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનોએ લાભ લીધો હતો

(7:12 pm IST)