Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

મોરબીમાં પ્રેમપ્રકરણનો ખાર રાખી આધેડ ઉપર ૭ શખ્‍સોનો હુમલો

મોરબી,તા.૩૦ : મોરબીના ત્રાજપર ખારી વિસ્‍તાર નજીક પ્રેમ લગ્નનો ખાર રાખી ૭ શખ્‍સોએ આધેડને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપીને માર મારતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

 મોરબીના ત્રાજપર ખારી જુની નીશાળ સામે રહેતા અને પાન મસાલાની દુકાન ચલાવતા ફરિયાદી ચંદુભાઇ જીવાભાઇ ઉઘરેજાએ આરોપી કિશન ભવાનભાઇ ભરવાડ, ગોપાલ ભવાનભાઇ ભરવાડ, સંજય ભરવાડ, વાલજી ઉર્ફે વિપુલ ભરવાડ અને ત્રણ અજાણ્‍યા શખ્‍સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જેમાં તેમણે જણાવ્‍યું હતું કે, તેમના દિકરા ગોપાલે  કિશન અને ગોપાલ ભરવાડની કુટુંબીક બહેન પુજા સાથે  પ્રેમ લગ્ન કરેલ હોય અને ભાગી ગયેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓએ બે રીક્ષાઓમા ચંદુભાઈની દુકાને આવીને ગાળો ભાંડી લોખંડના પાઇપ , લાકડાના ધોકા જેવા હથીયારો થી માર મારી પીઠના ભાગે તથા બન્ને પગે તથા બન્ને હાથે મુંઢ ઇજાઓ પહોચાડી તથા ડાબા પગે ઢીચણથી નીચેના ભાગે ફેકચરની ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે મામલે  મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આઈ.પી.સી. કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૫૦૬(૨) તથા જી.પી એક્‍ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:37 pm IST)