-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
જામનગરના INS વાલસુરામાં સદગુરૃ જગ્ગી વાસુદેવે નેવીના અધિકારીઓને મળી વૃક્ષારોપણ કર્યું
(મુકુંદ બદિયાણી દ્વાર) જામનગર,તા.૩૦ : સેવ સોઈલ ચળવળનું નેતૃત્વ કરતા, ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુ જગ્ગી વાસુદેવ ભારતમાં યાત્રા દરમ્યાન ભારતમાં સૌપ્રથમ જામનગર પહોંચ્યા હતા.
૭૦ દિવસમાં ૨૦,૦૦૦ કિલોમીટરનું અંતર કાપ્યા પછી અને તેમને તેમની મોટરસાઇકલ પર ૨૫ દેશોમાંથી પસાર થતા જોયા પછી, સદગુરુ જગ્ગી વાસુદેવ ત્ફલ્ વાલસુરા, જામનગર ખાતે પહોંચ્યા જ્યાં નેવલ બેન્ડ દ્વારા તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું.
સદગુરુએ નૌકાદળના કર્મચારીઓ અને પરિવારો સાથે વાર્તાલાપ કર્યો અને ''માટી બચાવો''ની તાત્કાલિક જરૃરિયાત પર પ્રકાશ પાડવા ઉપરાંત તોળાઈ રહેલા ''માટી લુપ્તતા''ના વધતા જોખમ વિશે જાગૃતિ ફેલાવી. સદગુરુએ ''અમિયા બાગ''ની પણ મુલાકાત લીધી જેમાં ૧૨૦૦ આંબાના વૃક્ષો છે અને ભારતીય નૌકાદળ દ્વારા માટી અને હરિયાળીની જાળવણી માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૃપે તેમણે બે અશોકના વૃક્ષો વાવ્યા અને ૭૫ ફળોના રોપા શાળાના બાળકોને ભેટમાં આપ્યા અને આ વૃક્ષો વાવવાનો સંદેશ આપ્યો હતો.