Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

જુનાગઢ સોરઠીયા વાણંદ સમાજ દ્વારા સેન જયંતિની ઉજવણી

જુનાગઢ : સોરઠીયા વાણંદ સમાજ દ્વારા મહાન ભકત શ્રી સેન મહારાજની ૭રરમી જન્‍મજયંતિની ઉજવણીના ભાગરૂપે સુખનાથ ચોક ખાતે આવેલ ભિકશુંક ગ્રુપ તેમજ મહિલા અનાથ આશ્રમમાં મીઠાઇ, ફરસાણ તેમજ આઇસ્‍ક્રીમ આપી ભોજનમાં સહભાગી બની ભોજન કરાવવામાં આવેલ હતુ. જેમાં સત્‍યમ સેવાનાં પ્રમુખ મનસુખભાઇ વાજા, પ્રવિણભાઇ જોશી, નાથાભાઇ કંડોરીયા, સહિત સોરઠીયા વાણંદ સમાજનાં ધનસુખભાઇ ચુડાસમા, વિજયભાઇ ચુડાસમા, વિપુલભાઇ પરમાર, પાર્થ ભટ્ટી, બિપીનભાઇ ભટ્ટી, પ્રફુલભાઇ ચુડાસમા, રમેશ વાજા, બિપીન ચુડાસમા સહિતનાં ઉપસ્‍થિત રહયાં હતાં. આ તકે ગ્રુપ  દ્વારા મનસુખભાઇ વાજાને સન્‍માનીત કરેલ તેમજ મનસુખભાઇ વાજા  તરફથી ગ્રુપનું ખેસ પહેરાવી સન્‍માન કરવામાં આવેલ હતુ. જુનાગઢ સોનાપુરી ખાતે આવેલ સેન મહારાજની પ્રતિમાને સોરઠીયા વાણંદ સમાજ દ્વારા પુજા અર્ચના કરી વંદન કરવામાં આવેલ. આ તકે ધનસુખભાઇ ચુડાસમા, વિજય ચુડાસમા, વિપુલ પરમાર, બિપીન ભટ્ટી,  બિપીન ચુડાસમા, પ્રફુલ ચુડાસમા, પાર્થ ભટ્‍ી, રમેશભાઇ વાજા ઉપસ્‍થિત રહયા હતાં.

(1:22 pm IST)