Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

વાંકાનેરના ખખાણા ગામની સીમમાં ઝેરી દવા પી લેતા સગીરાનું મોત

કોઈ કારણોસર કપાસમાં નાખવાની દવા પી લીધી

વાંકાનેર તાલુકાના ખખાણા ગામની સીમમાં વાડીએ ૧૪ વર્ષની સગીરા કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમીયાન મોત થયું છે જે બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે

 બનાવની મળતી માહિતી મુજબ ખખાણા ગામની સીમમાં આવેલ વાડીએ સરોજબેન ધનજીભાઈ ગાંગાણી (ઉ.વ.૧૪) નામની સગીરા કોઈ કારણોસર કપાસમાં નાખવાની દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમીયાન સગીરાનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી સગીરાએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

 

(9:39 pm IST)