Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં પદવીદાન સમારોહ યોજાયો

ભાવનગર એમ.કે.બી.યુનિવર્સીટીમાં ૧૪૨૯૭ વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયત: વિવિધ વિદ્યાશાખાના ૩૯ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને ૪૦ વિદ્યાર્થીઓને પી.એચ.ડી. ની પદવી

ભાવનગર :  મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીના ક્રિકેટ ગ્રાઉન્ડ મહાત્મા ગાંધી કેમ્પસ ખાતે આજે આઠમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષાતામાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાજવી પરિવારના યુવરાજ, કાર્યકારી કુલપતિ સહિતના મહાનુભાવો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગર એમ.કે.બી.યુનિવર્સીટીમાં ૧૪૨૯૭ વિદ્યાર્થીઓને ડીગ્રી એનાયતના કાર્યક્રમમાં વિવિધ વિદ્યાશાખાના ૩૯ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અને ૪૦ વિદ્યાર્થીઓને પી.એચ.ડી. ની પદવી એનાયત કરવામાં આવી હતી.

(1:04 am IST)