Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

જામજોધપુરમાં તલાટી કમ મંત્રી ભાવેશ પ્રજાપતિએ આરામ ગૃહમાં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા ખળભળાટ

તલાટીએ શા માટે આત્મહત્યા કરી ? તે કારણ હજુ અકબંધ

જામજોધપુર તા.૨૬     જામનગર જિલ્લાના જામજોધપુરમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા ભાવેશ પ્રજાપતિ નામના તલાટીએ આજરોજ આરામ ગૃહ માં દોરડા વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે.

     ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને લાશનો કબજો મેળવી લીધો છે. જો કે તલાટીએ શા માટે આત્મહત્યા કરી ? તે કારણ હજુ અકબંધ છે.પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.સુસાઇડ કરવા પાછળનું કારણ અકબંધ છે.

(3:39 pm IST)