Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

દ્વારકા જિલ્લામાં આવતા મહિને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સંભવિત આગમન

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૬ઃ દ્વારકામાં એપ્રિલ મહિનાના અંતમાં દેશના બે સર્વોચ્ચ વ્યકિતઓ રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતા હોવાનું સંભવિત જણાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્પતિ જામનગરના કાર્યક્રમ બાદ દ્વારકા દર્શન માટેના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનિવાર્ય કારણો સર રદ થતા હવે  રાષ્ટ્પતિ આગામી તા.૯ ના રોજ આવી રહ્યા હોવાનું અને એ પછી તા.૨૪ ના રોજ  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ દ્વારકાના પ્રવાસે આવી રહ્યા હોવાનું સંભવિત જણાઈ રહ્યું હોવાની ચર્ચા છે.

(1:17 pm IST)