Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ખીરૈયા પરિવારનું સોપાન: કાલથી મોરબીમાં 'અક્ષર ડેકોર'નો પ્રારંભ

રાજકોટ, તા. ર૬: સ્વામિનારાયણ સંપ્રદાયના જાણીતા હરિભકત ખીરૈયા પરિવાર દ્વારા મોરબીમાં કંપનીના ગાદલા, ઓશીકા બારી-બારણાના પડદા વગેરેના અદ્યતન શો-રૃમનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. 'અક્ષર ડેકોર' નામના આ વ્યવસાયિક સોપાનનું ઉદ્ઘાટન કાલે ર૭ માર્ચ રવિવારે સાંજે ૬ વાગ્યે પ્રથમ માળ, ઓમ શાંતિ કોમ્પલેક્ષ, બાપા સીતારામ ચોક, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. સંતોએ રૃડા આશીર્વાદ આપ્યા છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ખજુરાભાઇ (નીતિન જાની) ઉપસ્થિત રહેશે તેમ રક્ષિત ખીરૈયા (મો. ૮૧પ૪૯ ૭પપ૪પ) અને જયદીપ ડાભી (મો. ૭૦૯૬૬ ૬૬૬૧૯) જણાવે છે.

(1:15 pm IST)