Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

કાલે મીઠાપુરના આરંભડા આંખની હોસ્‍પિટલે વિનામૂલ્‍યે પડદા અને બાળકોની અને ત્રાંસી આંખોનો નિદાન કેમ્‍પ

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર,તા. ૨૬ : ઓખામંડળ તાલુકાના મીઠાપુર નજીક આવેલા આરંભડા ખાડે આવેલી શ્રી દ્વારકાધીશ આરોગ્‍ય ધામમાં આવતીકાલ એટલે કે તારીખ ૨૭/૩/૨૦૨૨ને રવિવારના રોજ વિનામૂલ્‍યે પડદા (રેટીના) અને બાળકોની અને ત્રાસી આંખના રોગોના નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ કેમ્‍પમાં આંખના પડદાની, ડાયાબિટીસ (મધુપ્રમેહ)ની પડદા પર અસર, પડદો ખસી જવો, આંખના વધુ નંબરથી પડદા પર થતી અસર તેમજ પડદાના તમામ દર્દોના નિદાન સાથે બાળકોની આંખની તકલીફો, ત્રાંસી આંખનું નિદાન વગેરે જેવી સેવાઓ આપવામાં આવશે. આ કેમ્‍પમાં મેહતા સુપરસ્‍પેશ્‍યાલીસ્‍ટ ડો.રૂચિર એ. મેહતા (પડદાના નિષ્‍ણાંત) અને ડો.નેહા મહેતા (બાળકોની ત્રાંસી આંખના નિષ્‍ણાંત) દ્વારા સેવાઓ આપવામાં આવશે.

જરૂરિયાતવાળા દર્દીઓને આ કેમ્‍પનો લાભ લેવા માટે આ હોસ્‍પિટલ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે. આ કેમ્‍પનો સમય સવારે ૯ થી ૧૨ નો જ રહેશે. તેમ જણાવ્‍યુ છે.

(11:40 am IST)