Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

સૌરાષ્‍ટ્રના ખેડૂતોને વાયર ફેન્‍સીંગમાં હેકટરના નિયમમાં છૂટછાટ આપો : બાવકુભાઇ ઉંઘાડ

વડિયા, તા. ર૬ :  રાજયના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્‍ય બાવકુભાઇ ઉંઘાડે રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇને પત્ર પાઠવીને સૌરાષ્‍ટ્રના ખેડૂતો માટે વાયર ફેન્‍સીંગના નિયમમાં છુટછાટ આપવા માંગણી કરી છે. બાવકુભાઇ ઉંઘાડે વધુમાં જણાવ્‍યું છે કે સૌરાષ્‍ટ્રના અનેક ખેડૂતોની રજુઆત આવેલ છે કે ખેડૂતોના ખેતરમાં વાયર ફેન્‍સીંગ માટે સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે. જે નિર્ણય ખુબ આવકાર્ય છે. અત્‍યારે સમુહમાં વાયર ફેન્‍સીંગ કરવાનો સરકારનો પ હેકટરનો નિયમ છે. તેની જગ્‍યાએ ખેડૂતોની વ્‍યકિતગત પોતાની જમીન હોય તેટલુ અથવા ૪ એકર સુધીની મર્યાદામાં વાયર ફેન્‍સીંગ કરવા અને પ હેકટરના નિયમમાં છુટછાટ આપવા ખેડૂતોની રજુઆત હોય તો આ બાબતે યોગ્‍ય કરવા માંગી કરી છે.

(11:28 am IST)